Menu

  1. Home
  2. Blog
  3. વિવિધ જૈવિક ખાતરો તરીકે વપરાતા સુક્ષ્મજીવોની માહિતી

વિવિધ જૈવિક ખાતરો તરીકે વપરાતા સુક્ષ્મજીવોની માહિતી

30 Sep 2022

જૈવિક ખાતર શું છે :

જીવંત સુક્ષ્મ જીવાણુંઓની શકિતશાળી જાત જમીનમાં તત્વો ઉમેરી અથવા પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવી ખાતર તરીકેનું કામ કરી આપે છે. એથી એને  'જૈવિક ખાતર'' કહેવામાં આવે છે. વિવિધ જૈવિક ખાતરોમાં રાઈઝોબીયમ, એઝોટોબેકટર, એઝોસ્પારીલમ, ફોસ્ફોબેકટેરીયા, બ્લ્યુ ગ્રીન આલ્ગી તથા અઝોલા પર દ્યનિષ્ટ સંશોધન થયેલ છે. જૈવિક ખાતરો નિદોર્ષ, પ્રમાણ માં સસ્તા તેમજ ઈકોફ્રેન્ડલી હોઈ દરેક ખેડૂતે પોતાની ખેતી પધ્ધતિ માં તેનો સમાવેશ કરવો જરૂરી છે.

જૈવિક ખાતરોમાં નાઈટ્રોજનનું સ્થિરિકરણ કરતા જૈવિક ખાતરો, ફોસ્ફરસની લભ્યતા વધારવા જૈવિક ખાતરો તેમજ પોટાશનું જમીનમાં ઝડપી વહન કરતાં જૈવિક ખાતરો ઉપયોગી છે. નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં જૈવિક ખાતરોમાં ઉપયોગી જીવાણુંઓ રહેલા છે. જેમાં બે પ્રકારનાં છે.

વિવિધ જૈવિક ખાતરો તરીકે વપરાતા સુક્ષ્મજીવોની માહિતી ટૂંકમાં નીચે મુજબ છે.

નાઈટ્રોજન સ્થિર કરતા સુક્ષ્મ જીવાણુંઓ :

એઝોટોબેકટર :

અઝોટોબેકટર એ એક પ્રકારના સૂક્ષ્મ જીવાણું છે. જે હવામાંના મુકત નાઈટ્રોજન ને સ્થિર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ બેકટેરીયાને વૃધ્ધિ તેમજ વિકાસ માટે હવામાંનો પ્રાણવાયું જરૂરી છે. અઝોટોબેકટર  ની પ્રમુખ જાતોમાં ક્રુકોકમ, વીનેલેન્ડી, બેજરીન્કી, એજીલીસ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના સુક્ષ્મ જીવાણુંઓ હવામાંનો મુકત નાઈટ્રોજન વાપરી પોતાનામાં રહેલા નાઈટ્રોજીનેઝ ઉત્સેચકની મદદથી એમોનીયા બનાવે છે. આ એમોનીયા પાણીમાં દ્રાવ્ય છે. જેથી છોડ સહેલાઈથી લઈ શકે છે. જમીનમાં છાણિયું ખાતર કે કોઈપણ પ્રકારના સેન્દ્રિય ખાતર ઉમેરવાથી તેમની સંખ્યા તથા કાર્યક્ષમતા વધે છે. આ જીવાણુંઓ ર૦–૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન / હેકટરે સ્થિર કરે છે. વિવિધ પ્રકારના વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. આ પ્રકારના સુક્ષ્મ જીવાણુંઓ ધાન્ય પાક જેવા કે દ્યઉં, બાજરી, ડાંગર, જુવાર, મકાઈ, ઓટ, જવ, તેલીબીયાં પાક જેવા કે રાઈ , તલ, સૂર્યમુખી, દિવેલા, રોકડિયા પાક જેવા કે તમાકુ, કપાસ, શેરડી, બટાટા તથા શાકભાજી અને ફળફળાદી પાકોમાં વાપરી શકાય છે.

એઝોસ્પાયરીલમ :

આ એક પ્રકારના સુક્ષ્મ જીવાણું છે. જે સુક્ષ્મ વાતજીવી છે.તેમની સાઈઝ મિલિમીટરના હજારમાં ભાગની તેમજ આકાર અર્ધેા વળેલો સર્પાકાર હોય છે. અઝોસ્પાયરીલમ સુક્ષ્મ જીવાણુંઓ મૂળમાં દાખલ થાય છે. પરંતું કોઈ ગાંઠો બનાવતા નથી. આ જીવાણુંઓની બે મુખ્ય પ્રજાતિઓ છે. લીપોફેરમ અને બ્રાઝીલેન્સ. આ જીવાણુંઓ પણ ર૦ –૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન / હેકટરે સ્થિર કરવાની ક્ષમતા રાખે છે. આ જીવાણુંઓ ધાન્ય પાક જેવા કે દ્યઉં , બાજરી, ડાંગર, જુવાર, મકાઈ, ઓટ, જવ તેમજ શેરડી, આદુ, ઘાસચારાના પાક વિગેરે માં સારું પરિણામ આપે છે.

એસીટોબેકટર :

તાજેતરમાં એસીટોબેકટર ડાયએઝોટ્રોપીકસ નામના નવિન બેકટેરીયા શેરડીમાંથી મળી આવ્યા છે. આ બેકટેરીયા શેરડીના મૂળ , પાન, સાંઠા ની અંદર વસવાટ કરે છે. તેઓ હવામાંનો નાઈટ્રોજન સ્થિર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ જીવાણુંઓ જૈવિક ખાતર તરીકે વાપરવાથી ભલામણ કરેલ નાઈટ્રોજન યુકત રાસાયણિક ખાતરમાં પ૦ % ની બચત થાય છે. અને શેરડીનું ઉત્પાદન ૧પ– ર૦ ટન/હે. વધે છે. એક હેકટરે શેરડીના વાવેતર માટેે ૪.૦ કિ.ગ્રા. કલ્ચર ની ભલામણ કરવામાં આવે છે.

રાઈઝોબીયમ :

હાલમાં ઉપલબ્ધ બધા જૈવિક ખાતરોમાં રાઈઝોબીયમ પ્રકારનું જૈવિક ખાતર સૌથી વધુ પ્રચલિત અને વધુ વપરાય છે અને તેથી તેનું વધુ મહત્વ છે. આ સુક્ષ્મ જીવાણુંઓનો યોગ્ય યજમાન કઠોળ પાકના બીજને પટ આપવામાં આવે તો બીજનું સ્ફુરણ થતા મૂળ ના સંસર્ગમાં આવી તેમાં પ્રવેશી મૂળમાં રહી તેમાંથી ખોરાક મેળવી પોતાનું જીવનચક્ર ચાલુ કરે છે. બદલામાં તે હવામાં રહેલ નાઈટ્રોજન જૈવ રાસાયણિક પ્રક્રિયા ધ્વારા છોડને લભ્ય તત્વ સ્વરૂપમાં ફેરવી આપે છે. આમ આ જીવાણુંઓ કઠોળ પાક સાથે સહજીવી રીતે રહે છે. વિવિધ કઠોળ પાકો માટે રાઈઝોબીયમ પ્રજાતિના જીવાણુંઓ અલગ હોય છે.


 

Home
Shop
Cart